સાબરકાંઠા જિલ્લાના માનગઢ હત્યાકાંડ અને પાલ દઢવાવ હત્યાકાંડમાં વીર અનામ આદિવાસી શહીદોને સત્ સત્ નમન.

           


સાબરકાંઠા જિલ્લાના માનગઢ હત્યાકાંડ અને પાલ દઢવાવ હત્યાકાંડમાં વીર અનામ આદિવાસી શહીદોને સત્ સત્ નમન.

૭ માર્ચ,૧૯૨૨માં સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ મુકામે આઝાદીની લડાઈમાં જલિયાવાલા બાગ કરતાં પણ પણ મોટો હત્યાકાંડ થયો હતો.જેમાં ૧૨૦૦થી  વધારે આદિવાસીઓ દેશ માટે શહીદ થયા હતા.ભારતની આઝાદીની લડાઈમાં આ બે મોટા હત્યાકાંડ થયા જે જલિયાવાલાબાગ કરતાં ય મોટા હતા.એમાં આ 

1.માનગઢ હત્યાકાંડ અને 2.પાલ દઢવાવ હત્યાકાંડ.આ બંને હત્યાકાંડમાં મોટી સંખ્યામાં આદિવાસી આઝાદીનાં લડવૈયાઓ શહીદ થયા હતા.આ હત્યાકાંડ આદિવાસીઓ દ્વારા અંગ્રેજોના શોષણ સામે અવાજ ઊઠાવતાં સર્જાયો હતો.સીધી રીતે અંગ્રેજોને આદિવાસીઓએ ખૂબ મોટી ફાઈટ આપી હતી.અંગ્રેજો આદિવાસીઓથી ડરતા પણ હતા.પણ જલિયાંવાલા બાગ જેવી પ્રસિદ્ધિ મળી નથી.મિડિયા ત્યારે પણ આજની સોશિયલ મિડિયાની જેમ શહેરની ઘટનાને વધુ મહત્વ દેતું હતું!?

એ સૌ વીર અનામ આદિવાસી શહીદોને શત શત નમન.

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

ધોડિયા બોલીયા કુલાક શબ્દો| ધોડિયા બોલીના કેટલાક શબ્દો|dhodiya language words